Gandhi Irwin Pact ~ Mjgyaan

Wednesday, March 6, 2019

Gandhi Irwin Pact

Gandhi Irwin Agreement

1931 ના 5 માર્ચ 1931 માં ગાંધી ઇરવીન સમજૂતી થઇ હતી 



5 માર્ચ, 1931 ના દિવસે ભારત માં રાષ્ટ્રીય આંદોલન ના નેતા મોહનચંદ કરમચંદ ગાંધી અને તત્કાલીન વાઇસરોય વચ્ચે એક ખાસ સમજૂતી થઇ, જે ગાંધી-ઇરવીન પેક્ટ ના નામે ઓળખાય છે.

                1929 માં વાઇસરોય લોર્ડ ઇરવીન ને ભારતને સ્ટેટસ આપવાની જાહેરાત કરી હતી. જોકે
એની કોઈ ખાસ રૂપરેખા તૈયાર નહતી. 1931 માં ગોળમેજી પરિષદ માં ભારત ના સંવિધાન વિષે ચર્ચા કરવાની હતી. ગાંધી ઇરવીન વચ્ચે આ સમજૂતી પહેલા 8 બેઠક થઇ. 1931માં 5 માર્ચ ના દિવસે એક સમજૂતી પર હસ્તાક્ષર કર્યો. એમાં નક્કી કરવા માં આવ્યું હતું કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સવિનય કાનૂન ભંગ નું  આંદોલન બંધ કરશે અને લંડન માં થનારી ગોળમેજી પરિષદ માં ભાગ લેશે. એ માં એ પણ નક્કી કરવામાં આવ્યું હતું કે બ્રિટિશ સરકાર ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ ની ગતિવિધીયો પર પ્રતિબંધ મુકનાર બધા  આદેશ પાછા ખેંચી લેવામાં આવશે. સમજૂતી માં સવિનય કાનૂન ભંગ ના આંદોલન દરમિયાન પકડાયેલા બધા લોકો ને મુક્ત કરવાનું નક્કી થયું. એ ઉપરાંત નક્કી થયું કે મીઠા પરનો વેરો હટાવી દેવા માં આવે, કારણ કે ભારત ના લોકો તેને કાયદેસર બનાવી વેચી શકે અને પોતાના માટે પણ ઉપયોગ માં લઇ શકે. બ્રિટિશ રાજ ખત્મ કરવાની માંગ કરનાર પાર્ટી સાથે કરવા માં આવેલી સમજૂતી પર ભારત ની બ્રિટિશ સરકાર અને ઇંગ્લેન્ડ ની સરકારે નારાજગી વ્યક્ત કરી અને એને પોતાના પગ ઉપર જ કુહાડી મારવા સાથે સરખાવી. જોકે બ્રિટિશ સરકારે બધી માંગણીઓ સ્વીકારી લીધી, કારણ કે એને એ સમજાઈ ગયું હતું કે કોંગ્રેસ અને ગાંધી વગર ગોળમેજી પરિષદ સફળ નહિ થઇ શકે.

Important

5 માર્ચ 1931 ના રોજ ગાંધીજી અને ઇરવીન વચ્ચે કરાર થયો. તે મુજબ સરકારે સત્યાગ્રહી ઓ ને છોડી મૂકયા તથા દમનકારી પગલાં પાછા ખેંચ્યા અને ગાંધીજી લડત મોકૂફ રાખી તથા  પ્રતિનિધી તરીકે બીજી ગોળમેજી  પરિષદ માં હાજર રહ્યા. 

પ્રથમ ગોળમેજી પરિષદ - 1930 લંડન માં
બીજી ગોળમેજી પરિષદ - માત્ર ગાંધીજી એ જ  બીજી ગોળમેજી પરિષદ માં ભાગ લીધો હતો.



  2 comments:

TheyaVue Reviews : Vegetables for eyesight improvement

LeanBiome : weight loss products

Popular Posts

Blog Archive

Categories

Followers